આજથી ખાઓ દૂધ સાથે ગોળ અને રહો તંદુરસ્ત

જો તમને ગળ્યું ખાવાનો શોખ છે અને બીમારીઓના ડરથી તમે પોતાને કન્ટ્રોલ કરી રહ્યા છો તો ગોળ તમારા માટે ઘણો સારો વિકલ્પ છે. ગોળ ખાવાથી ઘણા લાભ થાય છે અને તે સ્વાસ્થ્ય માટે પણ હાનીકારક નથી હોતો. પરંતુ જો ગોળને દૂધ સાથે ખાવામાં આવે તો તે વધુ ફાયદાકારક નિવડી શકે છે.

ગોળ અને દુધમાં ઘણા મિનરલ્સ હોય છે, જે શરીરને હેલ્થી બનાવી રાખવામાં ઘણી મદદ કરે છે. ગોળમાં રહેલું આર્યન અને દુધમાં રહેલું કેલ્શિયમ માંસ- પેશીઓ અને સાંધામાં રાહત અપાવે છે. એટલે બન્ને સાથે લેવું સ્વાસ્થ્ય માટે લાભપ્રદ રહે છે.

દુધમાં વધુ પ્રમાણમાં વિટામીન એ, બી અને ડી સિવાય કેલ્શિયમ, પ્રોટીન અને લેક્ટિક એસિડ હોય છે. તો, ગોળમાં વધુ પ્રમાણમાં સુક્રોઝ, ગ્લુકોઝ અને ખનીજ તત્વ હોય છે.

તો જાણો દૂધ અને ગોળ ખાવાના ફાયદા વિશે

૧. ડાઈઝેશન સિસ્ટમ સારી રાખે

ગોળ પાચન તંત્રને બીમારીઓથી બચાવે છે. ખાવાનું જલ્દી પચી જાય છે અને પેટમાં ગેસ નથી થવા દેતો. ખાસ કરીને ઠંડીમાં થતી પેટની સમસ્યાઓમાં ગોળ અને દૂધ રાહત આપે છે. રોજ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ નવશેકા દુધની સાથે એક ટુકડો જરૂરથી ખાવો.

૨ અસ્થમામાં અપાવે રાહત

ઠંડા વાતાવરણમાં શરીરને ગરમ રાખવા માટે અને કફને બહાર નિકાળવા માટે રોજ દૂધ અને ગોળ પીવાથી અસ્થમાના દર્દીઓને રાહત મળે છે. તમે ઈચ્છો તો ગોળ અને કાળા તલ મિલાવીને લાડુ બનાવીને દૂધ સાથે લઇ શકો છો.

૩. સાંધાના દુખાવામાં રાહત

રોજ દૂધ અને ગોળના સેવનથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. કારણકે દુધમાં મળતા વિટામીન ડી અને કેલ્શિયમ અને ગોળમાં રહેલું આર્યન સાંધાને વધારે મજબુત બનાવે છે. તમે ઈચ્છો તો ગોળનો એક ટુકડો આદુ સાથે ખાઓ, તેનાથી પણ ફાયદો મળશે.

૪. લોહી કરે સાફ

ગોળ શરીરના લોહીને સાફ કરવાનું પણ કામ કરે છે. તે લોહીમાં રહેલા હિમ્ગ્લોબીન કાઉન્ટ વધારે છે અને ઇમ્યુનિટી બુસ્ટ કરે છે. એટલે કે ગોળ અને દૂધ સાથે લેવાથી શરીરમાં શકતી મળે છે.

૫. વજન મર્યાદામાં રાખે છે

ગોળ મધ જેટલો જ ફાયદાકારક હોય છે. કારણકે ગોળ કેમિકલ ફ્રી પ્રોસેસથી જ તૈયાર થાય છે, એટલે તે ખાંડથી સારો હોય છે. એટલે જ તમે રોજ રાત્રે ઊંઘતા પહેલા દૂધ સાથે ગોળ ખાઓ તો સ્વાસ્થ્યને લાભ થઇ શકે છે અને વજન ચોક્કસ મર્યાદામાં રાખે છે.

Source link —> http://www.mojegujarat.com/daily-drink-milk-with-jaggery/

Share this :