જાણો ગુજરાતના અનોખા મંદિર વિષે જે દિવસ માં બે વખત દર્શન આપી સમુદ્ર માં ડૂબી જાય છે
ગુજરાત માં સ્થિત આ મંદિર ને સ્તંભેશ્વર મહાદેવ ના નામ થી ઓળખવામાં આવે છે. આ મંદિર દિવસ માં બે વખત દર્શન આપીને પોતાને સમુદ્ર ની લહેરો માં ગાયબ થઇ જાય છે. આપણા દેશ માં દેવી-દેવતાઓ ની બહુ માન્યતા છે અને તેમનું અસ્તિત્વ પણ સદીઓ થી બનેલ છે. ભારત માં જેટલા પણ મોટા મંદિર છે તેમની કોઈ ને કોઈ ખાસિયત જરૂર છે. દેશ માં પ્રાચીન કાળ થી જ ઘણા સિદ્ધ મંદિર છે જેવું કે વૈષ્ણો દેવી, કેદારનાથ અને બદ્રીનાથ જેમાં લોકો ની અતુટ આસ્થા છે. આ બધા મંદિરો ના વિશે લગભગ બધાને ખબર છે પરંતુ શું તમે ક્યારેય એવા કોઈ મંદિર ના વિશે સાંભળ્યું છે જે દિવસ માં બે વખત સમુદ્ર માં ડૂબી જાય છે? જો નહિ, તો અમે તમને એક એવા જ અનોખા મંદિર ના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણ્યા પછી તમે પણ ત્યાં જરૂર જવા ઇચ્છશો. આ મંદિર સમુદ્ર ની લહેરો માં આપમેળે ગાયબ થઇ જાય છે અને થોડાક સમય પછી ફરી થી બહાર આવી જાય છે. ગુજરાત શહેર માં સ્થિત ભગવાન શિવ નું આ મંદિર સ્તંભેશ્વર મહાદેવ ના રૂપ માં ઓળખવામાં આવે છે. તો શું છે આ મંદિર થી જોડાયેલ તથ્ય, આવો જાણીએ.
શિવપુરાણ માં પણ છે ઉલ્લેખ
ગુજરાત ના સ્તંભેશ્વર મંદિર નો ઉલ્લેખ મહાશીવપુરાણ માં રુદ્ર સંહિતા ભાગ-2 ના અધ્યાય 11 માં કરવામાં આવ્યો છે. આ મંદિર ની શોધ આજ થી લગભગ 150 વર્ષ પહેલા થઇ હતી. આ મંદિર વડોદરા થી 40 મિલ ની દુરી પર અરબ સાગર ના કેમ્બે તટ પર સ્થિત છે. મંદિર માં સ્થાપિત શિવલિંગ લગભગ 4 ફૂટ ઊંચું અને 2 ફૂટ ના વ્યાસ નું છે.
કયા કારણે ગાયબ થાય છે મંદિર
આ મંદિર માં શિવલિંગ નું દર્શન દિવસ માં ફક્ત એક વખત થાય છે. બાકી સમય આ મંદિર સમુદ્ર માં ડૂબેલ રહે છે. સમુદ્ર તટ પર દિવસ માં બે વખત ભરતી ઓટ આવે છે જે કારણે પાણી મંદિર ની અંદર પહોંચી જાય છે અને મંદિર નજર નથી આવતું. ભરતી ના ઉતરતા જ મંદિર ફરી થી દેખાઈ દેવા લાગે છે. ભરતી ના સમયે શિવલિંગ પૂરી રીતે જળમગ્ન થઇ જાય છે અને તે સમયે ત્યાં કોઈ ને પણ જવાની અનુમતી નથી હોતી. અહીં દર્શન માટે આવવા વાળા શ્રદ્ધાળુઓ ને ખાસ રીતે ચિઠ્ઠીઓ વહેંચવામાં આવે છે. આ ચિઠ્ઠીઓ માં ભરતી ઓટ નો આવવાનો સમય લખેલ હોય છે જેથી તે સમયે મંદિર માં કોઈ ના રહે.
શું છે પૌરાણિક કથા
પૌરાણિક કથા ની માનીએ તો તાડકાસુર એ ઘોર તપસ્યા થી ભગવાન શિવ ને પ્રસન્ન કરીને અમર થવાનું વરદાન માંગ્યું હતું. ભગવાન શિવ એ તેનું આ વરદાન નકારી દીધું હતું જેના પછી તેને બીજા વરદાન ના રૂપ માં ફક્ત શિવ પુત્ર દ્વારા પોતાનું મૃત્યુ માંગ્યું હતું. વરદાન મળ્યા પછી તાડકાસુર એ પોતાના અત્યાચારો થી દરેક તરફ હાહાકાર મચાવી દીધો હતો. તેનાથી પરેશાન થઈને દેવગણ ભગવાન શિવ ની પાસે ગયા. ત્યારે શ્વેત પર્વત ના પીંડ થી કાર્તિકેય નો જન્મ થયો અને તેમને જ તાડકાસુર નો વધ કર્યો. પરંતુ આ ખબર પડવા પર તે ભગવાન શિવ નો સૌથી મોટો ભક્ત હતો કાર્તિકેય આત્મગ્લાની થી ભરાઈ ગયા. તેના પર ભગવાન વિષ્ણુ એ એક ઉપાય જણાવ્યો કે તે અહીં પર શિવલિંગ સ્થાપિત કરે અને રોજ માફી માંગે. તેથી મંદિર દરરોજ સમુદ્ર માં ડૂબીને અને પછી પાછું આવીને આજે પણ પોતાના કરેલ ની માફી માંગે છે. આ રીતે શિવલિંગ અહીં વિરાજમાન થયું અને ત્યારથી જ આ મંદિર ને સ્તંભેશ્વર ના નામ થી ઓળખવામાં આવે છે.
Source link —> gujjudhamal.com/stambheshwar-temple-in-gujrat-must-know/