જાણો ભગવાનને ચડાવેલા ફૂલ આ જગ્યાઓ પર રાખવા જોઈએ

દરેક કોઈ ભગવાનની પૂજા-અર્ચના કરતા હોય છે આ સિવાય પ્રસાદ કે દાનના સ્વરૂપે પણ કંઈક ને કંઈક લોકો દ્વારા ચઢાવવામાં આવે છે.ભગવાનને અર્પણ કર્યા પછી પ્રસાદના સ્વરૂપે આપણે ચઢાવેલી વસ્તુઓને ગ્રહણ પણ કરીયે છીએ પણ શું તમે જાણો છો કે ભગવાનને આપણે એક એવી વસ્તુ પણ ચઢાવિયે છીએ જે તમારું ભાગ્ય બદલી નાખવાની પણ તાકાત ધરાવે છે.

તે વસ્તુ છે ‘ફૂલ’. આપણે ભગવાનને ફૂલ પણ ચઢાવીએ છીએ અને તે જ ફૂલ ભગવાનના આશીર્વાદ સમાન બની જાય છે. આ ફૂલને આપણે કઈ ખાસ મહત્વ નથી આપતા પણ તે ઈશ્વરનો આશીર્વાદ હોય છે. ભગવાનને ચઢાવેલા આ ફૂલને ખાસ જગ્યા પર રાખીને તમે જીવનમાં ઘણી એવી ખુશીઓને મેળવી શકો છો. આવો તો તમને જણાવીએ કે ભગવાનને ચઢાવેલા ફૂલોને ક્યાં સ્થાન પર રાખવા જોઈએ, જેથી ઘરની આર્થિક સ્થિતિ સુધરી શકે.

ફૂલને રાખો ઘરની તિજોરીમાં

જો તમને કોઈ મંદિરમાં ભગવાન પર ચઢાવેલા ફૂલ મળી જાય તો તેને ઘરની તિજોરીમાં રાખી દો.અથવા તો કોઈ એવા સ્થાન પર રાખો જ્યાં તમે ઘરેણા કે પૈસા વગેરે રાખતા હોવ. આવું કરવાથી તમારા ઘરમાં હંમેશા બરકત બની રહેશે અને ઘરની આર્થિક સ્થિતિ પણ સુધરી જાશે.

જો ફૂલને ના રાખી શકો તો આવું પણ કરી શકો છો

જો ફૂલને ઘરે લાવવા શક્ય ન હોય તો તમે ભગવાનને ચઢાવેલા ફૂલને સારી રીતે સૂંઘી લો અને પછી તેને કોઈ ઝાડની નીચે અર્પિત કરી દો.આવું કરવાથી ફૂલમાં ભગવાનના તરફથી મળેલી દરેક સકારાત્મક ઉર્જા તમારામાં આવી જશે.એટલે કે આ ફૂલ તમારી નકારાત્મક શક્તિને દૂર કરે છે અને સકારત્મક્તા લાવે છે. આ સિવાય તમે તે ફૂલને કોઈ નદી કે જળાશયમાં પણ પધરાવી શકો છો.

લાલ કપડામાં રાખો

આ સિવાય ભગવાનને ચઢાવેલા ફૂલ લાલ કપડામાં રાખવા જોઈએ.ફૂલને લાલ કપડામાં બાંધીને તે જગ્યા પર રાખો જ્યાં તમે ઘર ખર્ચ માટે પૈસાને રાખો છો કે પછી ઘરની તિજોરીમાં પણ રાખી શકો છો.આવું કરવાથી ધન હંમેશા બચેલું રહેશે અને ધનની ખામી ક્યારેય પણ નહિ આવે અને તમારી આર્થિક સ્થિતમાં પણ વધારો થશે.

ફૂલ-છોડના કુંડામાં

ભગવાનને ચઢાવેલા આ ફૂલોને ઘરના કોઈ ફળ-ફૂલના છોડના કુંડામાં કુંડામાં પણ પધરાવી શકો છો,આવું કરવાથી ફૂલની મર્યાદા બની રહે છે.

Source link —> gujjurocks.in

Share this :