જાણો ગોંડલ નજીક દડવા ગામના રાંદલ માતાજી નો ઈતિહાસ અને ચમત્કારો

સૌરાષ્ટ ની ધરા પર સ્થિત ગોંડલ નજીક દડવા મા રાંદલ માતાજી નુ દેવસ્થાન ખુબ જ પ્રખ્યાત છે. ગોંડલ થી મોવિયા અને ત્યા ની વાસાવાડ માર્ગે ૩૫ કી.મી ના અંતરે દડવા ગામ મા બેજોડ સ્વરૂપે બિરાજેલા છે. રાંદલ માતાજી અધ્યાત્મ ની ભાષા મા જણાવીએ તો અહી બિરાજેલા રાંદલ માતાજી મા થી દિવ્ય અલૌકીક ઉર્જા ફેલાય છે.

નવરાત્રી ના સમયગાળા મા અહી ના દર્શન જે અલગ હોય તો આજે આપણે જાણીએ દડવા મા રાંદલ માતાજી નો ઈતિહાસ. એક વખત સૌરાષ્ટ મા ખુબ જ ગંભીર દુષ્કાળ નુ વાતાવરણ સર્જાય છે. જેના થી રક્ષણ મેળવવા માટે માલધારીઓ ટીંબા મા વાસ કરે છે જે બીજુ કોઈ નહી પરંતુ , સ્વયં રાંદલ માતાજી છે.

આ બાળકી ના પગ ગામ મા પડતા જ ચારેય બાજુ અલૌકિક ચમત્કારો થવા માંડે છે. અપંગ , આંધળા તથા કોઢ થી પીડાતા લોકો સકુશળ થઈ જાય છે છતાપણ કોઈ તેમને ઓળખી શકતુ નથી. માટે તે કોઈ અનન્ય લીલા ગ્રામ્યજનો સમક્ષ પ્રગટ કરવાનો નિશ્ચય કરે છે.

રાંદલ માતાજી બાજુ ના ધૂતારપુરા ગામ મા જાય છે કે જ્યા બાદશાહ ના સિપાઈઓ હોય છે. દુધ-ઘી આ માલધારીઓ પાસે થી લેવા માટે તેમની સમક્ષ તે ૧૬ વર્ષ ની કન્યા ના સ્વરૂપ મા જાય છે. બાદશાહ સુધી આ વાત પહોંચતા તે આ સુંદરી જ્યા છે ત્યા આવે છે કે અને તેને પોતાની સાથે જ લઈ જવા માટે આ માલધારીઓ પર ત્રાસ ગુજારે છે.

આ દ્રશ્ય જોઈ ને માતાજી ક્રોધિત થાય છે અને તેની પાસે ઊભેલા વાછડા ને પરીવર્તીત કરી નાખે છે અને સમગ્ર સેના નો નાશ કરી નાખે છે. જેથી , આ ગામ ને દડવા તરીકે ઓળખવા મા આવે છે રાંદલ માતાજી ને જોઈ ને ગ્રામજનો મા ખુશી ની લાગણી છવાઈ જાય છે.

આ પ્રસંગ બાદ રાંદલ માતા ગ્રામજનો ને વચન આપે છે કે જે કોઈ વ્યક્તિ તેમની સાચા હ્રદય થી તથા સંપુર્ણ શ્રધ્ધા થી ભક્તિ કરશે. તેમની તે સર્વ સમસ્યા હરી લેશે , અંધજન ને નેત્રો આપશે , અપંગ ને પગ આપશે , કોઢિયા નો કોઢ મટાડશે તથા નિઃસંતાન ને સંતાન આપશે.

આ દેવસ્થાન મા દર નવરાત્રીએ યજ્ઞ થાય છે તથા રાંદલ માતાજી ના લોટા તેડાય છે , ચંડીપાઠ થાય છે તથા ગોરાણી જમાડાય છે તથા બટુક ભોજન પણ કરાવાય છે. દડવા મા રાંદલ માતા ના આ દેવસ્થાન મા પરોઢ તથા સંધ્યા સમય ની આરતી ના દર્શન કરવા એ પોતાના મા જ એક લ્હાવો પ્રાપ્ત કરવા જેવુ છે.

અહી પરોઢે ૫ વાગ્યે તથા સાંજે ૭ વાગ્યે આરતી થાય છે. અહી પ્રાચીન રીત-રીવાજ મુજબ શંખ-ઢોલ-નગારા તથા ઘંટ ના સ્વર સાથે આરતી કરવા મા આવે છે. દડવા ના આ દેવસ્થાન ના દર્શનાર્થે દેશ-વિદેશ થી ભક્તો ની ભીડ ઉમટે છે. મિત્રો , અંતે ફક્ત એટલી જ વાત કહીશ કે , જ્યા માણસો ની વિચારવા ની ક્ષમતા નો અંત આવે છે ત્યા થી શ્રધ્ધા ના દ્વાર નો પ્રારંભ થાય છે.

Source link —> mojemustram.posspooja.in

Share this :